કેનેડાની રાજધાની ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે. આ ઘટના બાદ વંશિકાનો પરિવાર દુઃખી છે. અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વંશિકા કેનેડામાં ગુમ થઈ હતી. હવે તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. 21 વર્ષીય વંશિકા આમ આદમી પાર્ટીના નેતા દવિંદર સૈનીની પુત્રી હતી. વંશિકા અંતિમ સમયમાં કોની સાથે હતી. શું કરતી હતી તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ
કેનેડાની રાજધાની ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે. 21 વર્ષીય વંશિકા 25 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી. અને ભાડેથી રૂમ શોધવા માટે તપાસ કરી રહી હતી. પરંતુ આ ઘટના બાદ તે પરત ફરી ન હતી. તેનો મોબાઇલ પણ બંધ હોવાનું જાણવા મળ્યુ હતુ. વંશિકાની બીજા દિવસે એક મહત્વપૂર્ણ પરીક્ષા હતી. પરંતુ તે ગેરહાજર રહતા તેની તપાસ કરાઇ હતી. અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વંશિકા, જે ઘણીવાર તેના પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહેતી હતી, તે અચાનક ગુમ થઈ ગઈ હતી.
પોલીસ તપાસ કરાઇ તેજ
શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વંશિકા કેનેડામાં વધુ અભ્યાસ કરવા માટે ગઈ હતી. જ્યારે વંશિકા પરીક્ષામાં હાજર રહી નહીં ત્યારે તેના મિત્રોએ તેની શોધ શરૂ કરી અને બાદમાં પોલીસને જાણ કરી. આ પછી, જ્યારે સ્થાનિક અધિકારીઓએ શોધ શરૂ કરી, ત્યારે વંશિકાનો મૃતદેહ એક દરિયા કિનારા પાસે મળી આવ્યો. દરમિયાન, ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે તેઓ આ મામલે સ્થાનિક પોલીસના સંપર્કમાં છે અને વિદ્યાર્થિનીના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. હાલમાં, સ્થાનિક પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને મૃત્યુનું કારણ શોધવાના પ્રયાસો ચાલુ છે.