યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક નિવેદનમાં જણાવ્યું હતું. કે “તેઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને એવા યુધ્ધ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેના દુ:ખદ પરિણામો આવી શકે,” “પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી અંગે આજે ભારતમાં ચાર મોટી બેઠકો યોજાવા જઈ રહી છે, જેમાં નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવી જોઈએ.
પાકિસ્તાનના નેતાઓ દેશના લોકો સમક્ષ ભારતને પડકાર ફેંકી રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ દેશની સંસદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ ભારત તરફથી હુમલાના ડરથી પાકિસ્તાનની સરકાર સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી રહી છે. પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને “ભારતને સલાહ” આપવા અપીલ કરી છે. શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી સાથે એવા સમયે વાત કરી જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સેનાને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની વિવેકબુદ્ધિ મુજબ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ આગામી 24 થી 48 કલાકમાં ભારતીય હુમલાની અપેક્ષા રાખી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને યુક્રેન યુદ્ધમાં પૈસા માટે મોટી માત્રામાં શસ્ત્રો વેચી દીધા છે, તેથી પાકિસ્તાન પાસે લાંબા સમય સુધી લડવા માટે દારૂગોળો નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન દેશના લોકો સમક્ષ પોતાને મજબૂત તરીકે રજૂ કરવાનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મધ્યસ્થી માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શાહબાઝ શરીફે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો ઇનકાર કર્યો છે.” વધુમાં, શાહબાઝ શરીફના કાર્યાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત દ્વારા કોઈપણ આક્રમણની સ્થિતિમાં, પાકિસ્તાન તેની બધી શક્તિથી તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરશે, પ્રધાનમંત્રીએ યુએન સેક્રેટરી જનરલને વિનંતી કરી છે કે તેઓ ભારતને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને સંયમ રાખવાની સલાહ આપે. આ પછી, સંયુક્ત રાષ્ટ્રના સચિવ ટોનિયો ગુટેરેસે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ફોન કર્યો અને બંને પક્ષોને તણાવ ઓછો કરવા અને તણાવ વધતો અટકાવવા વિનંતી કરી.